
ઇન્સાફી કાયૅવાહી પૂરી થયે મિલકતનો નિકાલ કરવાનો હુકમ
(૧) કોઇ ફોજદારી ન્યાયાલયમાં કોઇ તપાસ ઇન્કવાયરી કે ઇન્સાફી કાયૅવાહી પૂરી થાય ત્યારે પોતાની સમક્ષ રજૂ થયેલી અથવા પોતાની કસ્ટડીમાંની અથવા જેના સબંધમાં કોઇ ગુનો થયાનું જણાતું હોય અથવા જેનો ઉપયોગ કોઇ ગુનો કરવામાં થયો હોય તે મિલકત કે દસ્તાવેજનો નાશ કરીને તેને જપ્ત કરીને તેનો કબ્જો મેળવવા હકદાર હોવાનો દાવો કરનાર વ્યકિતને તે સોંપી દઇને અથવા બીજી રીતે તેનો નિકાલ કરવા માટે તે ન્યાયાલય કે મેજિસ્ટ્રેટ પોતાને યોગ્ય લાગે તે હુકમ કરી શકશે.
(૨) કોઇ મિલકત તેના કબ્જા માટે હકદાર કોઇ વ્યકિતને કોઇપણ શરતણ વિના અથવા અપીલમાં કે ફેર તપાસમાં પેટા કલમ (૧) હેઠળ થયેલા હુકમમાં ફેરફાર કરવામાં આવે અથવા તે રદ કરવામાં આવે તો ન્યાયાલયને તે મિલકત પાછી આપવા માટેનો ન્યાયાલયને કે મેજિસ્ટ્રેટને ખાતરી થાય તેવો જામીન સહિતનો કે તે વિનાનો મુચરકો કરી આપવાની શરતે પેટા કલમ (૧) હેઠળ કોઇ મિલકત સોંપવા માટે હુકમ કરી શકાશે.
(૩) સેશન્સ ન્યાયાલય પેટા કલમ (૧) હેઠળ પોતે હુકમ કરવાને બદલે મિલકત ચીફ જયુડિશિયલ મેજીસ્ટ્રેટને સોંપવાનો આદેશ આપી શકશે અને તેઓ તે ઉપરથી કલમો-૫૦૩, ૫૦૪ અને ૫૦૫માં જોગવાઇ કયૅત પ્રમાણે તે અંગે કાયૅવાહી કરશે.
(૪) તે મિલકત પશુધન હોય અથવા જલ્દી અને સ્વાભાવિક રીતે બગડી જાય તેવી હોય તે સિવાય અથવા પેટા કલમ (૨) ની જોગવાઇ અનુસાર મુચરકો કરી આપવામાં આવેલ હોય તે સિવાય પેટા કલમ (૧) હેઠળ હુકમનો બે મહિના સુધી અથવા અપીલ કરવામાં આવી હોય ત્યારે તે અપીલનો નિકાલ ન થાય ત્યાં સુધી અમલ કરી શકાશે નહી.
(૫) આ કલમમાં નિલકત માં જેના અંગે ગુનો થયાનું ગણાતું હોય તે મિલકત મૂળ કોઇ પક્ષકારના કબ્જામાં કે તેના નિયંત્રણ નીચે હોય તેનો જ નહી પરંતુ જે મિલકતમાં તેનું રૂપાંતર કરવામાં આવ્યું હોય અથવા જેની સાથે તેનો અદલોબદલો કરવામાં આવ્યો હોય તે મિલકતનો તેમજ એવા રૂપાંતર કે અદલા બદલાથી તરત કે અન્યથા જે કાંઇ પ્રાપ્ત કરાયેલ હોય તેનો પણ સમાવેશ થાય છે
Copyright©2023 - HelpLaw